છોટા ઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના મોધલા ગામે અશ્વિન નદી પર પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા અંદાજે બે કરોડથી વધુના ખર્ચે બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. જોકે, બ્રિજનું લોકાર્પણ થાય તે પહેલાં જ તેના એપ્રોચ રોડનો એક ભાગ ભારે વરસાદ અને નદીના પ્રવાહના કારણે ધોવાઈ ગયો છે. જેના કારણે બ્રિજ પરથી વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અશ્વિન નદીનો પટ વિશાળ હોવા છતાં બ્રિજની લંબાઈ પૂરતી રાખવામાં આવી નથી. પરિણામે લોકાર્પણ પહેલાં જ બ્રિજનો એક છેડો ધોવાઈ જતાં કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઊભા થયા છે.